પૃષ્ઠો

બુધવાર, 21 જૂન, 2017

વિચાર જેવું વર્તન

👉🏻 *જયા સુધી ચુપ રહીને બધું સહન કરતા રહીએ ત્યા સુધી આપણે દુનિયાને સારા લાગીએ છે..પરંતુ એકાદ વખત પણ સાચી વાત કહી દીધી તો આપણા જેવો ખરાબ માણસ આ દુનિયામાં કોઈ નથી તેવું તે માની લેશે ....*

👉🏻 *દુનિયા સાથે લડી લેનારા ઘરઆંગણે જ હારી જતાં હોય છે*

👉🏻 *હ્રદય થી નમવું જરુરી છે સાહેબ......ખાલી માથું નમાવવા થી ભગવાન નથી મળતા......*

👉🏻 *' મદદ ' એ ખૂબ જ ' મોંધી 'ભેટ છે,  તેથી દરેક પાસેથી તેની ' અપેક્ષા ' રાખશો નહિ. કારણકે ખૂબ જ ઓછા લોકોના હ્દય  ' શ્રીમંત ' હોય છે......!!!*            
     
👉🏻 *વૃત્તિ શ્રેષ્ઠ હોય તો..કોઇ પણ પ્રવૃત્તિ શ્રેષ્ઠ જ થવાની..*

👉🏻 *"વિશ્વાસ" સ્ટીકર જેવો હોય છે. બીજી વખત પહેલાં જેવો નથી ચોટતો..*

👉🏻 *પીરસાયેલાં ભોજનમાં આપણે ખામીઓ શોધવામાં વ્યસ્ત હોયીએ ત્યારે....કેટલાક લોકો સુકા રોટલા માટે ભગવાનનો આભાર માનતા હોય છે..*

👉🏻 *સાવ સરળ શબ્દ, "સમજણ" કાનો માત્રા કયાં છે? છતાં, બધામાં નથી હોતી.*

👉🏻 *દરેક માણસ હવા માં ઉડી રહ્યો છે , તો જમીન પર આટલી ભીડ કેમ છે…*

👉🏻 *પરિવારમાં જે વ્યક્તિ સમજદાર, લાગણીશીલ, જતુ કરવાની ભાવનાવાળો, તેમજ ગમ ખાઇ જનાર હોય, તેનેજ પરિવાર ના અન્ય સભ્યો નકામો ગણી હાંસી ને પાત્ર બનાવે છે.પણ હકીકતમાં એ જ વ્યક્તિ નાં કર્મ ને કારણે જ પરિવારનાં અન્ય સભ્યો સુખી અને સંપન્ન હોય છે...!!*

આચાર્ય વિજયરત્નસુંદરસૂરિ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો